Pages

Tuesday 27 October 2015

મૂક ને પડતી એ નફરત

ગઝલ
મૂક ને પડતી એ નફરત - પ્યાર ની ચર્ચા,
ને હવે રહેવા દે માણસ જાત ની ચર્ચા.
કેમ નક્કામી કરો છો રાખની ચર્ચા?
કે હજી પૂરી નથી થઈ આગની ચર્ચા.
સાવ ઠાલા છે મલમ -ઔષધ્,દવાદારૂ,
ના કરો વકરી ગયેલા ઘાવની ચર્ચા.
લોક તો ઉમટે કિનારે જોઈ ને ભરતી ,
ને કરે હાંફી રહેલાં વ્હાણની ચર્ચા.
આભથી વરસી રહી છે ચાંદની શીતળ,
થાય છે શાથી હમેંશા દાગ ની ચર્ચા?
<> પરશુરામ ચૌહાણ

મને પ્રેમ છે

હાં તારી યાદો સાથે મને પ્રેમ છે,

કોલેજના એ દિવસોમાં હું તને તારા ઘરની સામે ડ્રોપ કરતો ને પછી તુ બાલ્કનીમાંથી બાય કહીને મને ઘરે જવાનો ઈશારો કરતી, ને તો ય હું ખરા તડકાનો તારી ઓર એક ઝલક મેળવવા ઉભો રહેતો,
હજી તો ઘરે પણ ના પહોંચ્યો હોય એ પહેલા તારો કોલ આવતો કે ઘરે પહોંચીને જમી લેજે, થોડો આરામ કરી લેજે,
અને ૫ વાગ્યે ડેરી ડોનમાં મળવા આવજે,
અને પછી કયારેક તારો કોલ રિસિવ ના થયો હોય એના બીજા દીવસે કોલેજે તુ મને જોઈને પણ મોં મચકોડીને નજરઅંદાજ કરતી.....
.
હાં એ તારી નજરઅંદાજ કરવાની અદા સાથે મને પરેમ છે,
હા તારી યાદો સાથે મને પરેમ છે!

Monday 26 October 2015

હાશ ....નવરાત્રિ પૂરી થય

હાશ ....નવરાત્રિ પૂરી થય ...
આમ તૉ આપણા શાસ્ત્રો અને ધર્મ પ્રમાણે ..આ નવ દિવસો મા માતાજી ની ઉપાસના એટલે કે શક્તિ ની ભક્તિ કરવાની હોય છે ..
પણ આપણે તૉ એથીય ઘણું વિશેષ કરીયે છીયે ...હવે તૉ એવું લાગે કે આ ભક્તિ ભાવ તૉ ગૌણ વસ્તુ છે ...તેની પાછળ મૂળ હેતુ કંઈક જુદો જ છે ...
હમણા બે -ચાર દિવસ પેલા અમારે ગરબા ના કાર્યક્રમ મા જવાનું હતુ ..તેમા એક મિત્ર એ તૉ 8 વાગ્યા મા ફોન કર્યો ને કીધું તૈયાર થય જા આપણે જવાનું છે ..મેં કીધું અત્યાર મા શું છે ..મારે હજી જમવાનું બાકી છે .તે કય જે હોય તે ...મારે આરતી પેલા પૉચવુ છે અને આરતી જોવી છે ...લ્યો બોલો ...આરતી જોવી ..મેં કીધું ...શાંતિ રાખ થોડા મોડા જઈશુ તૉ ચાલશે ..તેને જીદ કરી મારે આરતી પેલા જ પોચવુ અને આરતી જોવી ...હવે કોની આરતી જોવી હશે એ તૉ રામ જાણે ...(માતાજી ની તૉ નય જ હોઇ ) પછી મેં કીધું ખાલી આરતી શું ..આપણે ભક્તિ ,પૂજા ,અર્ચના ,ભાવના,શ્રધ્ધા બધું જોશું ..પણ થોડા મોડા જઈશું ...
એટલે પત્યું ..
બોવ મજા આવે હો નવરાત્રિ મા આ આરતી ,પૂજા ,ભક્તિ ,અર્ચના ,શ્રધ્ધા ...વગેરે ને જોવાની ...
.
મે તૉ બોવ નોટીસ કર્યુઁ ...આ વખતે ..ગરબા મા માતાજી ના ગીત ઓછા અને ક્રુષ્ણ અને રાધા ના ગીતો વધુ હતા ...આ કાના એ પણ કંઇ બાકી નથ રાયખુ હો ....જ્યાં જગ્યા મલી ત્યાં પગ ઘુસેડ્યો અને જ્યાં જગ્યા નોતી ત્યાં જગ્યા કરી ને ઘુસેડ્યો ..
જુઓ ને આ ઓલરાઉન્ડર એ માતાજી ના ભક્તિ પર્વ મા પણ રાસલીલાઓ કરીને ..પોતાનું પ્રેમ પ્રકરણ ઉમેર્યુ ..
અને અમનેય રવાડે ચડાવ્યાં ....ઇતૉ રાસલીલા કરવા વાંસળી વગાડી ને ગોપીયુ ભેગી કરી લેતા અને ...અમારા થી તૉ હવે સીટિયુ પણ નો મારાય ..ત્યાં સિટીઓ વગાડવા નો હક માત્ર ઓલા સિક્યોરિટી વાડા નેજ છે ..
નવરાત્રી એટલે ખાલી માતાજી ની ભક્તિ નું પર્વ નઈ પન સાથે સાથે ...પ્રેમ સંબંધ પાકા કરવાનો પન તેહવાર છે .
જોવો ને આપણા એક ગરબા મા સામેથી લાઇન મારવા નું કય છે ...
"આવતા જતા જરા નજરો નાખતા જજો બીજું તૉ કંઇ નહી પરંતુ કેમ છો કેહતા જજો "
.
ગરબા ઇ પ્રેમ નું પર્વ હોવુ જ જોઈ ...આ જોવો ને
કોક ગરબા મા ..ગોપી કાના ને ફરીયાદ કરે છે ..તૉ કોક મા વડી કંઈક ખોવાઈ ગયું છે ઇ ગોતવાનું ક્યે છે... તૉ વડી કોક ગરબા મા રાસ રમવા નું આમંત્રણ આપે છે ..તૉ કોક ગરબા મા ડાયરેક્ટ પ્રપોઝ મારે છે ...તૉ વડી કોક ગરબા મા તે રિસાય જય છે ..તૉ વડી બીજા મા તે મનાવે પણ છે ..
આ બધા ગરબા મા જ love પ્રોબ્લેમ ની બધી વસ્તુ કેવા મા આવે છે ....
જો ..મારા મોટા ભાઇયોં આપણે આ આરતી ,અર્ચના ,પૂજા,ભક્તિ વગેરે જોવા કરતા આપણે ઉપર કિધા એવા ગરબા ના ગીતો ને સમજવાનો પ્રયત્ન કરશું તૉ વધારે ફાયદો થશે ..
કોક આના દ્વારા કંઈક કેવા માગતું હોઇ તૉ ..!!
નવરાત્રી મા પૂજા ,આરતી અર્ચના બધું સરસ જ લાગે ...એતૉ આડે દી હોઇ ત્યારે ખબર પડે ..એટલે be Concentrate
And enjoy ....
જો તમે સિંગલ હોઇ અને નવે નવ દી ગરબા રમવા ગયા હોઇ અને આજે પણ સિંગલ જ હોઇ તૉ ...ખરેખર તમે ગરબા રમવા જ ગયા હતા ..
(sent via what's app)
પ્રાથના :- માતાજી માફ કરે ..
આવતા -જતા
હે ...આવતા જતા જરા નજરુ નાખતા જજો ...બીજું તૉ કંઇ નહી પરંતુ કેમ છો કેહતા જજો ....કેમ છો કેહતા જજો ..
--હિતેશ નરસિંગાણી

ભરતીય ક્રિકેટ ટીમ નો ચાહક

વિનંતી ક્રમાંક 1
પ્રતિ ,
શ્રી મહેન્દ્રસિંહ ધોની ,
(કપ્તાન ,ભરતીય ક્રિકેટ ટીમ )
વિનંતી :-મૅચ ની હાર માટે યોગ્ય બહાનું આપવું
જય ભારતસાથ જણાવતા આમ તૉ મને દુઃખ થાય છે કે આપ દરેક હાર વખતે એક નું એક બહાનું આપો છો .
"We loss the toss ,so we loss "
આવા બહાના સાંભળીને આખો દેશ થાકી ગયો છે ..તૉ મહેરબાની કરી ને આવા બહાના ના આપવા વિનંતી .
વિનંતી ક્રમાંક 2,
પ્રતિ ,
શ્રી વિરાટભાઈ કોહલી ,
(માનનીય અગ્રગણ્ય સદસ્ય ,
ભરતીય ક્રિકેટ ટીમ )
વિનંતી :- મૅચ વખતે આપની પ્રેમિકા અનુષ્કા બેન શર્મા ને સાથે ના રાખવા વિનંતી
શ્રી વિરાટ ભાઈ હું તમારો બોવ મોટો ચાહક છુ અને તમારી થનાર...નો પણ ચાહક છુ . એટલે એક ચાહક અને એક જવાબદાર નાગરિક તરીકે અનુષ્કા જી નું અપમાન થાય તે યોગ્ય નો ગણાય . આજે મહેન્દ્રભાઈ કરતા વધારે ગાડો અનુષ્કા પર પડશે .અને મારા સહિત બધા લોકો ને ખબર છે .અનુષ્કાજી મૅચ જોવા આવે ત્યારે તમારુ લાકડા નું બેટ જરાય ચાલતું નથી ..એટલે હવે થી આવનાર મૅચ મા તેમને બને ત્યાં સુધી સાથે ના રાખવા વિનંતિ ..
લી .
હિતેશ નરસિંગાણી
(
ભરતીય ક્રિકેટ ટીમ નો ચાહક )

કંઈ ને કંઈ હર કોઈ

કંઈ ને કંઈ હર કોઈ ને બંધાણ તો નક્કીહશે, 
સહેજ પણ અંદર કશે ભંગાણ તો નક્કી હશે.

ફક્ત મોજાઓ જ આકર્ષાય ના અમથા કદી, 
ચંદ્ર ને પણ આ તરફ ખેંચાણ તો નક્કી હશે.

ફક્ત એવી ધારણા થી આ સફર લાંબી બની,
કે હજી આગળ કશે રોકાણ તો નક્કી હશે.

ઓશિયાળી લાગણી ના વહાણ મોઝારે હવે, 
કો'ક કાંઠે ક્યાંક એ સંજાણ તો નક્કી હશે

જર્જરિત ખંડેર જેવો હું ધરાશાયી થયો, 
મને ઢંઢોળ, મુજ માં પ્રાણ તો નક્કી હશે.

<> પરશુરામ ચૌહાણ

મારો જ ..