Pages

Sunday 14 February 2016

"વેલેન્ટાઈન ના પૂર .....બગાવત ના સુર"




  બધા જુવાનીયા... એ કાલે વેલેન્ટાઈન ડે ઉજવ્યો જ હશે (અપવાદ બાદ કરતા) જુવાનીયા શું હવે તો બધા આ પ્રેમ ના આ પર્વ ને ઉજવતા થયા છે. આમ તો પ્રેમ ની ઉજવણી માટે નો કોઈ દિવસ ના હોય પણ ભાઈ પ્રેક્ટિકલ ઉજવવામાં ખર્ચો નો પોસાય... એમ તો કૃષ્ણ જન્મ્યા તે સાક્ષાત છે જ આપણી સાથે , તો તેની ગોકુળ આઠમ કેમ ઉજવો છો. પ્રેમ ને વ્યક્ત કરવા માટે કંઈ દિવસ ની રાહ નો જોવાય,એ તો જયારે થાય તે જ વેલેન્ટાઈન તો એના કંઈ દિવસો હોય....
ના હોય ?, હોવાજ જોય.

બધી વસ્તુ માટે ના દિવસો છે, ધર્મ માટે તમે દિવસો આપી દીધા પણ માણસ મન ના સૌથી મોટા ધર્મ ની ઉજવણી માટે ના  દિવસો માં તમને વાંધા પડે છે. એમાં તમને સંસ્કૃતિ નું પતન દેખાય છે. આવા લોકો ને કેતાય   શરમ નથી આવતી જગત ને પ્રેમ નું ભાન કરાવનાર જ આપણો જગત જમાદાર હતો...આપણો જ કાનો હતો.. અને અજેય તેના નામ ની સાથે  તેની સાથે તેની પત્ની ની નઈ તેની પ્રેમિકા ની પૂજા થાય છે. આ કેમ ભૂલી જાવ છો.


 પ્રેમ કરવા માટે કોઈ ધર્મ નું માનવાનું હોય ...? કે ખુદ ના ધર્મ નું કે..? પછી પ્રેમધર્મ એજ .. મહાધર્મ કરી ને કૂદી પડવાનું હોય તેમાંથી જે શીખવા મળે તે તેના સિદ્ધાંતો અને,  સામે નું પાત્ર એ તે ધર્મ નો ભગવાન તેના માટે જે કરો એ તેની પૂજા . બરોબર ને મિત્રોસ્  તમે ભગવાન પાસે કૈક તો અપેક્ષા રાખતા હોવ જ છો ને એટલે  સામેના પાત્ર પાસે તમારે અપેક્ષા તો હોવાની જ.. અને હોવી પણ જોઈએ. જો તમે ભગવાન પાસે અપેક્ષા રાખતા હોય અને તમને જો કહી દેવામાં આવે ભગવાન કંઈ  નથી તેના પાસે કંઈ અપેક્ષા નઈ... તો શું કંકોડો તમે તેને માનવના પ્રેમ માં પણ આમજ, અપેક્ષા હોય તો જ પ્રેમ ટકે..
"પ્રેમ એટલે કંઈ પણ અપેક્ષા વગર નું સમર્પણ "એ શું વળી , આ જે ટોપા એ વ્યાખ્યા કરી હોય તેનો જરૂર પ્રેમભંગ થયો હશે અને દિલ ને દિલાસો આપવા માટે આવું કહ્યું હશે.

     *    *   *    *

અમુક લોકો,બાબાઓ , દંભી ધર્મ ના પ્રચારકો વેલેન્ટાઈન ડે કોનું છે, ક્યાંની સંસ્કૃતિ છે. શું છે તે એવું સમજાવતા ફરે છે. અરે ટોપાવ.. તમને માનવ ના મન ની ખબર નથી તો શું તમને કંકોડો ભગવાન શોધવા ને નીકળ્યા છો. અને પાછા લોકોને , દુનિયા ને પોતાની સંસ્કૃતિ ભણાવવા નીકળ્યા છો.
તમને પોતાનું કંઈ દેખાતું જ નથી ને બીજા ની ઉડાડવા નીકળી પડ્યા. આપણાં શાસ્ત્રો થી લઈને સાહિત્ય  સુધી દરેક જગ્યા એ પ્રેમ ની વ્યાખ્યા કરી છે. અને આ દંભી ડોકલા વેલન્ટાઇન કોનું અને શા માટે ઈ સમજાવા નિકળા છે, તેને કહો કે ભાઈ આ દેશ ના લોકો ને હજુ 26 મી જાન્યુઆરી અને 15 મી ઓગષ્ટ માં, સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસતાક દિન માં પણ કન્ફયુજન થાય છે અને તે શા માટે છે એનીય અડધા ને ખબર નથી ને તમે વેલેન્ટાઇન ડે શા માટે કોનું છે ઈ... શું છે ઈ.. આવું સમજવા નીકળ્યા છો. ડૂબી મરો...
આ ઉંમરે તો પ્રેમ માં પડ્યા પછી બાપા નુય સરખું નથી માનતા તો આ બાબાઓ નું ક્યાંથી માનશે,
દર વખતે આપણી સંસ્કૃતિ મહાન , આપણી સંસ્કૃતિ મહાન એવું કહેવાથી કંઈ આપણે મહાન નથી થઈ જવાના , આપણે પશ્ચિમ નું જે સારું હશે તે સ્વીકારવું જ રહ્યું..
અલ્યા મહાન મહાન ના ગાણા ગાનાર તમારી આજુ બાજું , ઉપર નીચે બધું જોવો એમાં તમારી સઁસ્કૃતિ નું શું છે. એલાવ.."પેન ની ટાંક થી લઈને... પેન્ટ ની ચેન સુધી " બધુ અત્યારે જે તમે વાપરો ને ઈ તેની જ દેન સે જેને તમે ગાળો આપો છો.
  આતો એવું થયું કે આપણું મહાન તો બીજા નું ધૂળ.. ઢેફાં
અને પછી પોતાની મહાનતા ય એ ધૂળ ઢેફાં ગણાવો તેની ઉપર ઉભા રહી ને ન તમારી મહાનતા બતાવવી છે.  તો એનો મતલબ એવો જ થયો ને કે આપણી મહાન તા ની જેટલી ઊંચાઈ આપણે બતાવીએ છીએ તે ઓલા ના ખંભા પર ચડીયે તોજ મહાન અને ઊંચી દેખાય છે તો આપણી ઊંચાઈ શું ગણવી બોલો..
  આતો શું આપણી પાસે દુનિયા ને દેખાડવા માટે કંઈ બીજું છે નય ને એટલે આ સંસ્કાર ને સંસ્કૃતિ ની ફાટેલી પીપુડી વગાડયે રાખી.. એટલે ચાલ્યા કરે છે.

     જો પશ્ચિમ ની સારી વસ્તુનું અનુકરણ કરવા માં ધર્મ ભરષ્ટ થતો હોય તો મારે તેવા ધર્મ ની કોઈ જરૂર નથી તેવા ધર્મ નું તો હું પડીકું વાળી મોટો ખાડો ખોદી તેને દફનાવી ને તેના પર પીપી કરીશ. મારો ધર્મ મને એજ શીખવે કે જે સારું છે તે સ્વીકારો સારા વસ્તુ લેવા માં પોતાનું કે બીજા નું નો જોવાનું હોય અને આપણું ભલે ગમે તેટલું મહાન હોય જો તે કંઈ કામ માં મને નો આવતું હોય અને મારો વિકાસ માં કે મારા જીવન ના આંનદ લેવા માં ખલેલ પહોંચાડતું હોય તો ઈ ફગવી દેવાનું અને નવા માટે જગ્યા કરવાની.
        *   *   *  *

 #સમાધાન

આપણી પ્રજા છે ને તે ઉત્સવ પ્રિય પ્રજા છે. તે શું છે ,શેનું
છે ,શા માટે છે તે બધા કરતા તેની ઉજવણી માં વધુ રસ છે.
તે માની લેવું જોઈએ... અને તેની સાથે તેનો આનંદ પણ લેવો જોઈએ.
જો આપણે અંગ્રેજી કેલેન્ડર વગર નથી જ ચાલવાનું  તે આપણે સ્વીકારી લીધું, તો આપણે 31 ડિસેમ્બર ઉજવવા માં વાંધો ના જ હોવો જોઈ...
હું 31 ડિસેમ્બર પણ ઉજવીશ અને બેસતું વર્ષ પણ ઉજવીશ.

અને હા વેલન્ટાઇન ના આ દિવસો એ પ્રેમ ને વ્યક્ત કરવાના નહિ પ્રેમ ની ઉજવણી ના દિવસો છે. તે યાદ રહે

#પ્રાર્થના:  બધા એ પોત પોતાના પ્રેમ ધર્મ ને માની ને જેટલી પૂજા કરી છે તેટલું તેનું ફળ તેને જલદી મળે.

#આવતા_જતા

આજનો યુવાન ના તો 'ભૌતિકવાદી' છે , નાતો 'આધ્યાત્મવાદી' છે, નાતો તે 'નાસ્તિકવાદી' છે નાતો તે 'આસ્તિકવાદી' છે આજ નો યુવાન તો ફક્ત ''વાસ્તવવાદી'' છે.
       
                      ~હિતેશ નરસિંગાણી

No comments:

Post a Comment